Sugar and Jaggery

ગોળ અને ખાંડમાં ફરક?

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે

હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની છે, તે ઝડપથી પચાવી જોઈએ અને વચ્ચે પચવા માં કોઈ અડચણ આવે એવી કોઈ વસ્તુ ભોજન માં ન ખાઓ.

પરિણામ ચોકાવનારું છે.

આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug Research Institute) છે.

રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું.

તેની જગ્યાએ શું ખઈએ. જવાબ-ગોળ ગોળ અને ખાંડમાં ફરક? બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર(કેમિકલ) ભેળવવા પડે છે, અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

ગોળ થી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે.આ કાકવી ગોળ થી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી, ૧ વર્ષ આરામ થી રાખી શકો છો. કાક્વી નો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે.હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.

આ કાકવી શી હોય છે? કાકવી મતલબ શેરડીના રસને જયારે આપણે ગરમ કરીએ છીએ તો ગરમ કરતા કરતા ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લીક્વીડ બને છે તે લીકવીડ ને કાકવી કહે છે. જ્યાં ગોળ બને ત્યાં કાકવી જરૂર મળશે.

ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. શુગર મિલ વાળાઓનું પણ બીપી હાઈ છે. જ્યાર થી ખાંડ બનાવવા નું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.

રસપ્રદ જાણકારી ભારત ને છોડી ને દુનિયા ના દેશો માં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે.કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે,તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે.જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારત ના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે.ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

ગોળ અને ખાંડ ની એક જ વાત યાદ રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી.જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે, કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

ખાંડ ને પચાવવી પડે છે તેમાં ૬-૭ કલાક લાગે છે અને ગોળ જે કઈ પણ ખાઓ તેને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ, આર્થરાઈટીસ,અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગી માં ક્યારેય નહિ આવે. તમે તમારી જીંદગી માં થી ખાંડ ને કાઢી નાખો કેમ કે આપણે જે કુદરતી ખાંડ ફળ માંથી કે બીજી વસ્તુઓ માંથી મળી રહે છે, આ ખાંડ તમને પચવા ના રસ્તા માં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવા ની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો ગોળ ખાઓ કાકવી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *