Ayunature Care Clinic

સ્વસ્થ આરોગ્ય માટે ની ગોલ્ડન ટીપ્સ

  • જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો, આપનું બ્લડપ્રેશર કાબુમાં રહેશે.
  • હૃદયના ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રુપમાં પણ લઈ શકાય.
  • હૃદયની બીમારીવાળી વ્યક્તીએ ટામેટાં ખાવાં. તેમાંથી વીટામીન ‘સી’ અને ‘એ’ તથા પોટેશીયમ પુરતા પ્રમાણમાં મળે છે, જે હૃદયરોગમાં મદદ કરે છે.
  • મેથીના દાણાનું ચુર્ણ બનાવી દરરોજ ખાલી પેટે એક ચમચી લેવાથી બ્લડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તે કાબુમાં રહે છે.
  • દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડપ્રેશર અને ડાયાબીટીસનું જોખમ ઓછું થઈ જાય છે.
  • તરબુચના બીની મીંજ અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટે લેવાથી બ્લડપ્રેશર કાબુમાં રહેશે.
  • કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દુધીનો રસ કાઢી, ફુદીનાનાં ચાર પાન અને તુલસીનાં બે પાન નાખી દીવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *