Ayunature Care Clinic

ગર્ભાવસ્થા દરમિયાન આ એક ફળ ખાવાથી થશે અઢળક ફાયદા

એવું કહેવાય છે કે જ્યારે એક સ્ત્રી માતા બને છે, ત્યારે તે ક્ષણ તેના જીવનની સૌથી ખાસ ક્ષણ છે. પરંતુ તે પહેલાં ગર્ભાવસ્થાની સમય આવે છે જે એનાથી પણ વધુ ખાસ હોય છે. માતા બનતા પહેલાં આ ગર્ભાવસ્થા એટલે જ વધુ મહત્વ ધરાવે છે કારણકે આ સમય દરમિયાન માતા તેના આવનાર બાળક વિશે ઘણાં પ્રકારના સપનાઓ જુએ છે. હા, માતા તેના આવનાર બાળકને દરેક રીતે સુરક્ષિત રાખવા પ્રયાસ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન તે ફક્ત પોતાના આહારમાં ફેરફાર કરતી નથી પરંતુ તેની સંપુર્ણ જીવનશૈલી પણ સદંતર બદલી નાખે છે. હવે અહીં એટલું તો સ્પષ્ટ થાય જ છે કે આ નવ મહિના કોઈ પણ સ્ત્રી માટે ખૂબ જ વિશિષ્ટ હોય જ.

એટલે કે, જો સરળ શબ્દોમાં કહીએ તો, એક મહિલા આ નવ મહિનામાં તેનું સમગ્ર જીવન જીવી લે છે. આ વખતે, તે સમય માત્ર સ્ત્રી ગર્ભવતી સ્ત્રી માટે જ નહીં, પણ તેના પરિવાર માટે પણ તે ખૂબ જ ખાસ છે. આનું કારણ એ છે કે તેમના ઘરના લોકો પણ સગર્ભાવસ્થા દરમિયાન તેમની સંભાળ લે છે. તે અગત્યનું છે કે સગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રી જે ખાય છે, તે ભોજન તેના દ્વારા સિદ્ધુ જ બાળકને પહોંચે છે.

આ કારણે જ આ દિવસોમાં ગર્ભવતીને ઘણી જ સાવચેતીપૂર્વક ખોરાક આપવામાં આવે છે.જેથી બાળકને નુકસાન ન થાય અને માતાનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. આજે અહીં તમને એક ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ચોક્કસપણે આરોગવું જઈએ. જી હા, આ ફળ માતા અને બાળક બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારી જાણકારી માટે જણાવીએ કે આ ફળદાયી ફળ સંતરા છે. તે ચોક્કસપણે ખાટા છે, પરંતુ તે મુજબ ફાયદાકારક પણ છે. તો ચાલો હવે સંતરાના ફાયદા વિશે વાત કરીએ.

  • નોંધપાત્ર રીતે, સંતરાને ‘વિટામિન સી’નો ઉત્તમ સ્રોત માનવામાં આવે છે. આ કારણે, સંતરા ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ રહેતી નથી.
  • આ ઉપરાંત, જો શરીરમાં વિટામિન સી યોગ્ય માત્રામાં હશે, તો બાળકનું મન તંદુરસ્ત અને ઝડપી હશે.
  • તમે જાણતા હશો કે સંતરા દ્વારા બાળકને માતા તરફથી પૂરતું પોષણ મળે છે. જે માતા અને બાળક બંને માટે અત્યંત મહત્વનું છે.
  • સાથો સાથ,તેના દ્વારા શરીર પણ સોડિયમ અને પોટેશિયમ મેળવે છે. જે શરીર માટે બહું ફાયદાકારક છે.
  • ઉલ્લેખનીય છે કે, જો લોહતત્વની ગોળીઓ સંતરાના રસ સાથે લેવામાં આવે છે, તો હિમોગ્લોબિનનું પ્રમાણ શરીરમાં સંતુલિત થાય છે. લોહતત્વની ગોળીઓ લેવી કે નહીં તે અંગે, એક વખત ડૉકટરની સલાહ અવશ્ય લો.
  • જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ભરપૂર માત્રામાં સંતરાનું સેવન કરવાથી શરીરમાં પાણીની અછત બુલકુલ રહેતી નથી.
  • સંતરા હોર્મોન્સ બદલનાર ફલ છે. તેને ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ડિપ્રેશન થવાની સમસ્યા નથી રહેતી.

મિત્રો અમને ખાતરી છે કે નારંગીના ફાયદા વિશે જાણ્યા પછી, તમે તેનું સેવન કર્યા વિના નહીં રહો. તો હવે પછી આ સુલભ ફળના દુર્લભ ફાયદા જાણ્યા પછી એને જરૂર ઉપભોગ કરજો.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *